માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો


SHARE













વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા આધેડને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ વડે બે શખ્સો દ્વારા માથામાં અને બંને હાથમાં માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતાને ખેતી કામ કરતા ગોરધનભાઇ નરશીભાઇ બાવરવા જાતે કોળી (૫૫)એ હાલમાં સાગર શિવાભાઈ બાવરવા અને જીવણ મેરાભાઇ બાવરવા રહે બંને અદેપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેની પાસે આવીને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેમ કહી બોલાચાલી કરી હતી અને ત્યારે સાગ બાવરવાએ લોખંડના પાઇપ પડે ગોરધનભાઈ બાવરવાને માથામાં અને બંને હાથે માર માર્યો હતો ત્યારે આરોપી જીવણ મેરામ બાવરવાએ તેને પકડી રાખ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ગોરધનભાઇ નરશીભાઇ બાવરવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવી ટીંબડી ગામે રહેતા સલીમભાઈ ઇસ્માઈલભાઈ ચૌહાણ નામના ૫૯ વર્ષના વૃદ્ધને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એલીકા સિરામીકની પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બાદમાં બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે રીક્ષા ભાડા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો દરમિયાનમાં સલીમભાઈને મારમારી તેઓનો મોબાઇલ પાડી દેવામાં આવ્યો હતો અને આ સંદર્ભે તેઓને ઈજા થઈ હોય સારવાર માટે લવાયા હતા.






Latest News