વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો
મોરબીના ખેવારીયા ગામે તળાવમાં ડૂબી ગયેલ વ્યક્તિની ૩૨ કલાકે પાણીમાંથી લાશ મળી
SHARE
મોરબીના ખેવારીયા ગામે તળાવમાં ડૂબી ગયેલ વ્યક્તિની ૩૨ કલાકે પાણીમાંથી લાશ મળી
મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં આવેલ પરસોતમ ચોક પાસે રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ (૪૫) તેની પત્ની સાથે નારણકા ગામે તેના સબંધીને ઘરે જતાં હતા ત્યારે ખેવારિયા પાસે નારણકા જવાના રસ્તે શનિવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ખેવરિયા પાસેના કોઝવે ઉપરથી બે ફૂટ પાણી હતું તેમાંથી બાઇક લઈને પસાર થયા હતા જો કે, રફિકભાઈ હુશેનભાઈ શેખની પાસે રહેલ મોબાઈલ, પાકીટ સહિતનો માલ ભરેલ થેલો પાણીમાં પડ્યો હતો તેને લેવા માટે જતાં અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયા હતા અને તેને બચાવવા માટે તેની પત્ની જતાં તે પણ પાણીમાં ડૂબવા લાગી હતી જો કે તેને ત્યાં રહેલા લોકોએ બચાવી લીધી હતી અને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ કવાયત કરી હતી જેથી મોરબી પાલિકાની ટીમ પાણીમાં શોધખોળ કરી રહી હતી તે ઉપરાંત ગઇકાલે બપોર પછી રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને મોરબી તેમજ રાજકોટની ટીમ દ્વારા રફિકભાઈને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમ્યાન રાતના ૧૨ વાગ્યે પાણીમાંથી રફીકભાઈની લાશ મળી આવી હતી આમ ૩૨ કલાક સુધી ફાયરની ટીમે મહેનત કરી ત્યારે તળાવના પાણીમાં ડૂબી ગયેલા રફિકભાઈ હુશેનભાઈ શેખની બોડી પાણીમાંથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે