ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

રાજ્યસભાની એક બેઠક માલધારી સમાજને આપવા મોરબી માલધારી સમાજના આગેવાનની માંગ


SHARE













રાજ્યસભાની એક બેઠક માલધારી સમાજને આપવા મોરબી માલધારી સમાજના આગેવાનની માંગ

વર્ષોથી ભાજપ સાથે રહેલ માલધારી સમાજ અને તેનાં આગેવાનોએ માલધારી સમાજ માટે રાજ્યસભાની બેઠક ફાળવવા ભાજપ  મોવડી મંડળ પાસે માગણી કરવી જોઇએ તેવી મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે. 

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલ રાજ્યસભાની ૩ બેઠક પર ભાજપ પક્ષ એક બેઠક માલધારી સમાજને આપે તેવી રજૂઆત  આગેવાનોએ  સમાજ માટે  કરવી  જોઈએ તેવી લાગણી મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી દ્વારા કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘણા વરસોથી માલધારી સમાજ ભાજપ પક્ષ સાથે જોડાયેલ છે હર હંમેશ  નાની મોટી ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરી વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા  માલધારી સમાજ  દ્વારા બજાવવામાં આવેલ છે ત્યારે ભાજપ મોવડી મંડળ પાસે સમાજના આગેવાનોએ  ખાલી પડેલ ૩ રાજ્યસભાની બેઠકમાંથી એક બેઠક ઉપર માલધારી સમાજ ને ફળવવા માટે માંગણી કરવી જોઈએ અગાઉના સમયમાં કોગ્રેસ પક્ષ દ્વારા માલધારી સમાજને રાજ્ય  સભાની એક બેઠક ફાળવેલ આવેલ હતી અને વર્ષોથી માલધારી સમાજ ભાજપ પક્ષ  સાથે જોડાયેલ છે ત્યારે સમાજ માટે  ભાજપના મોવડી મંડળ પાસે રાજ્ય સભાની  એક બેઠક ફાળવવા માટે  રજૂઆત કરવામાં આવે અને સમાજને ન્યાય અપાવવામાં આવે તેવી માલધારી સમાજની લાગણી અને માંગણી છે અને જો સમાજને રાજ્ય સભાની બેઠક ફાળવવામાં નહિ આવે તો આવનાર લોકસભા ચૂંટણીના સમયે માલધારી સમાજને વિચારવું પડશે માટે માલધારી સમાજને ન્યાય આપવા રાજ્ય સભાની એક  બેઠક આપવાની રજૂઆત ભાજપના મોવડી મંડળને કરવી જોઇએ તેવું રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News