હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરે કોઈ કારણોસર એસીડ પી ગયો હતો જેથી તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.હાલ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણની દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં મોરબી તાલુકાના આંદરણા ગામે કાકાના ઘરે રહેતો અને સિરામિકમાં મજૂરી કામકાજ કરતો મૂળ વાંકાનેરનો નરેશભાઇ મનજીભાઈ સોલંકી નામનો ૨૮ વર્ષનો યુવાન તા.૧૨-૭ ના રોજ બપોરના દોઢક વાગ્યાના અરસામાં તેના કાકાના ઘરે આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન નરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું અને બનાવ સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળ તપાસ કરવામાં આવી રહી છે જો કે, સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક નરેશના લગ્ન ત્રણેક મહિના પહેલા જ થયા છે અને તે એકનો એક દીકરો હતો આ બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો

મારા મારીમાં ઇજા
વાંકાનેરના નવાપરામાં રહેતા મનજીત રમેશભાઈ ઝીલીયા નામના યુવાનને નવાપરમાં આવેલ જીઆઇડીસી પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં સંસ્કાર બ્લડ બેન્ક પાસેથી બાઈક લઈને પંકજભાઈ રતનલાલ (૨૩) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા થવાથી પંકજભાઈને સારવાર માટે સાગર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ કરી રહ્યા છે






Latest News