મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરે કોઈ કારણોસર એસીડ પી ગયો હતો જેથી તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.હાલ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણની દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં મોરબી તાલુકાના આંદરણા ગામે કાકાના ઘરે રહેતો અને સિરામિકમાં મજૂરી કામકાજ કરતો મૂળ વાંકાનેરનો નરેશભાઇ મનજીભાઈ સોલંકી નામનો ૨૮ વર્ષનો યુવાન તા.૧૨-૭ ના રોજ બપોરના દોઢક વાગ્યાના અરસામાં તેના કાકાના ઘરે આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન નરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું અને બનાવ સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળ તપાસ કરવામાં આવી રહી છે જો કે, સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક નરેશના લગ્ન ત્રણેક મહિના પહેલા જ થયા છે અને તે એકનો એક દીકરો હતો આ બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો

મારા મારીમાં ઇજા
વાંકાનેરના નવાપરામાં રહેતા મનજીત રમેશભાઈ ઝીલીયા નામના યુવાનને નવાપરમાં આવેલ જીઆઇડીસી પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં સંસ્કાર બ્લડ બેન્ક પાસેથી બાઈક લઈને પંકજભાઈ રતનલાલ (૨૩) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા થવાથી પંકજભાઈને સારવાર માટે સાગર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ કરી રહ્યા છે








Latest News