મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના હરિપર (કે) ગામે કેન્સરની બીમારીથી કંટાળીને આધેડે અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીના હરિપર (કે) ગામે કેન્સરની બીમારીથી કંટાળીને આધેડે અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વાડીએ ગળાફાંસો ખાઈને આધેડે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતકના ભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ રમેશભાઈની વાડીએ મીતેશભાઇ સવજીભાઈ વીરપરિયા (૫૧) નામના આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક આધેડને તેના ભાઈ નિલેશભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા જસપાલસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આધેડને કેન્સરની બીમારી હતી જે બીમારીથી કંટાળીને તેને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે શિવ કૃપા આઈ માતા હોટલ નજીકથી કાંતિલાલ રતિલાલ નકુમ પોતાનું બાઈક નંબર જીજે ૨૪ એએલ ૭૩૧૦ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર નંબર આરજે ૦૭ જીબી ૫૯૦૭ ના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કાંતિલાલને માથા, કપાળ અને ડાબી આંખ ઉપર તેમજ હાથ-પગમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને અવાયા હતા અને ત્યાર બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિના મિત્ર ધીરજભાઈ ત્રીકમભાઈ સોલંકી (૨૭) રહે. જેતપર રોડ મનીષ કાંટા પાસે પીપળી વાળાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News