મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હળવદ-માળીયાના અગરિયાની રોજીરોટી છીનવાઈ તેવા સંકેત


SHARE







મોરબી જિલ્લાના હળવદ-માળીયાના અગરિયાની રોજીરોટી છીનવાઈ તેવા સંકેત

મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકાના રણ વિસ્તારમાં મીઠું પકવીને અગરીયા રોજીરોટી મેળવે છે જે અગરીયાઓની મીટીંગ મળી હતી. જેમાં તાજેતરમાં જાહેર થયેલી અગરિયાઓ માટેની સર્વ એન્ડ સેટલમેન્ટની યાદીમાં હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા ૯૫ ટકા જેટલા અગરિયાઓના નામ નથી જેથી કરીને હળવદના અગરિયાઓની રોજીરોટી છીનવાઈ તેવી શકયતા છે

માળીયા અને હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ રોજગારી મેળવે છે જો કે, સર્વ એન્ડ સેટલમેન્ટની યાદી તાજેતરમાં જાહેર કરાઇ છે તેમાં હળવદમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાના નામ યાદીમાં નથી જેથી અગરિયાઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે. હાલમાં જે યાદી આવેલ છે તેમાં ૯૫ 95 ટકા અગરિયાઓનો નામનો સમાવેશ નથી જેથી કરીને હવે પછી આ અગરિયાઓ મીઠું પકવી શકશે નહીં અને તેમની રોજીરોટી છીનવાઈ જશે. જેથી અન્યાયની સરકારમાં રજુઆત કરશે તેવું અગરિયાઓએ જણાવ્યું છે અને અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લાના કોઓડીનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, અભ્યારણ વિભાગની આ પોલિસીને કારણે અગરિયાઓ રોજીરોટી વગરના થઈ જશે અને મોરબી જિલ્લા સહિત અન્ય ચાર જિલ્લામાં હવે મીઠાનું ઉત્પાદન બંધ થઈ શકે તેમ છે.






Latest News