માળીયા (મી)ના સુલતાનપુર ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને સામસામી મારામારી બાદ સામસામી ફરિયાદ
મોરબી જિલ્લાના હળવદ-માળીયાના અગરિયાની રોજીરોટી છીનવાઈ તેવા સંકેત
SHARE
મોરબી જિલ્લાના હળવદ-માળીયાના અગરિયાની રોજીરોટી છીનવાઈ તેવા સંકેત
મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકાના રણ વિસ્તારમાં મીઠું પકવીને અગરીયા રોજીરોટી મેળવે છે જે અગરીયાઓની મીટીંગ મળી હતી. જેમાં તાજેતરમાં જાહેર થયેલી અગરિયાઓ માટેની સર્વ એન્ડ સેટલમેન્ટની યાદીમાં હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા ૯૫ ટકા જેટલા અગરિયાઓના નામ નથી જેથી કરીને હળવદના અગરિયાઓની રોજીરોટી છીનવાઈ તેવી શકયતા છે
માળીયા અને હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ રોજગારી મેળવે છે જો કે, સર્વ એન્ડ સેટલમેન્ટની યાદી તાજેતરમાં જાહેર કરાઇ છે તેમાં હળવદમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાના નામ યાદીમાં નથી જેથી અગરિયાઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે. હાલમાં જે યાદી આવેલ છે તેમાં ૯૫ 95 ટકા અગરિયાઓનો નામનો સમાવેશ નથી જેથી કરીને હવે પછી આ અગરિયાઓ મીઠું પકવી શકશે નહીં અને તેમની રોજીરોટી છીનવાઈ જશે. જેથી અન્યાયની સરકારમાં રજુઆત કરશે તેવું અગરિયાઓએ જણાવ્યું છે અને અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લાના કોઓડીનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, અભ્યારણ વિભાગની આ પોલિસીને કારણે અગરિયાઓ રોજીરોટી વગરના થઈ જશે અને મોરબી જિલ્લા સહિત અન્ય ચાર જિલ્લામાં હવે મીઠાનું ઉત્પાદન બંધ થઈ શકે તેમ છે.