મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ પદે દિનેશભાઈ રાણાભાઇ હુંબલ
મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે
SHARE
મોરબીના ઉમિયા આશ્રમમાં કાલે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે
મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં અધિક માસ નિમિતે પુરુષોતમ ભગવાનની મૂર્તિની પધરામણી કરવામાં આવશે અને ત્યારે સુંદરકાંડના પાઠ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
કાલે તા. ૧૫ ના રોજ અધિક માસ અને શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરવા માટે શ્રી પુરુષોતમ ભગવાનની પૂર્તિની મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમમાં પધરામણી કરવામાં આવશે અને સત્યનારાયણ ગૌશાળા ખાતે ભગવાનની મૂર્તિની પધરામણી કરાશે તે ઉપરાંત મોરબી શહેરના દરેક ગોપી મંડળને પુરુષોતમ ભગવાનના દર્શન અને મહાપ્રસાદ લેવા ત્યાના મહંત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ મહિલા મંડળ દ્વારા તા. ૧૫ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે સુંદરકાંડના પાઠ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે