અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય
SHARE
અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય
હજથી પરત આવનાર યાત્રિકો અને જી-૨૦ ના અગત્યના કાર્યક્રમ વખતે વિદેશથી આવનાર લોકો એક જ દિવસોમાં આવતા હોય ડીસીપી ટ્રાફિક ઝોન, અમદાવાદ સાથે સિક્યુરિટી બાબતે ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ, સમિતિના સભ્યો અને વોલ્યુન્ટીયર્સ સાથે ૧૧ જુલાઈના રોજ એક બેઠક યોજાઈ હતી.
જેમાં નિર્ણય લેવાયો હતો કે, લક્ઝરી અથવા મોટા વાહનોને એરપોર્ટથી દુર રાખવામાં આવે તેથી જો શક્ય હોય ત્યાં સુધી હજ યાત્રિકોને લેવા આવનાર સગા-સંબંધીઓ નાના વાહન લઈને આવે અને ઓછી સંખ્યામાં આવે જેથી કરીને એરપોર્ટ પર અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા ન થાય, આ વ્યવસ્થા તા ૧૪ જુલાઈ થી છેલ્લી ફ્લાઈટ ૨ ઓગસ્ટે આવે ત્યાં સુધી જાળવવા જણાવાયું છે.