અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનારાઓ માટે મહત્વનો નિર્ણય
મોરબી જેલના સ્ટાફ-બંદીવાનોને ફાયરની ટીમે બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું
SHARE
મોરબી જેલના સ્ટાફ-બંદીવાનોને ફાયરની ટીમે બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું
મોરબી સબ જેલ ખાતે આગના બનાવ બને ત્યારે મદદરુપ થવા માટે મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેલમા જઈને ત્યાં જેલ સ્ટાફ તથા કેદીઓને અગ્નિશામન તથા અકસ્માત સમયે બચાવ રાહતની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આગ કઇ રીતે બુજાવવી, આગ બુજાવતા સમયે કઇ કઇ બાબતે તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરી ફાયર વિભાગ મોરબીના સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયર વિભાગના કર્મચારીઓ દ્રારા મોરબી સબ જેલના સ્ટાફ તથા કેદીઓ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ ત્યારે મોરબી જેલ અધિક્ષક ડિ.એમ. ગોહેલ તથા જેલના કર્મચારીઓ અને જેલમાં રહેલા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા