મોરબીના ભડીયાદ નજીક રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની બે સગીર વયની દીકરીઓનું અપહરણ
મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે
SHARE
મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે
પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન ભક્તિભાવ નો મહિમા અનેરો છે ત્યારે દેશભરમાંથી લોકો વિવિધ યાત્રાધામોના દર્શનાર્થે જતા હોય છે.સૌરાષ્ટ્રની પાવન ધરતી ઉપર વિવિધ યાત્રાધામો આવેલ છે તેથી વિવિધ સ્થળેથી લોકો સુપ્રસિધ્ધ યાત્રાધામોની મુલાકાતે આવતા હોય છે.ત્યારે યાત્રાળુઓ મોરબી મુકામે આરામ કરી શકે તેમજ તેમના માટે રહેવા-જમવાની ઉતમ વ્યવસ્થા થાય તે માટે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા તથા જયેશભાઈ ટોળીયાએ યાદીમાં જણાવ્યુ છે.
બહારગામથી આવતા યાત્રા સંઘ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે હેતુસર બે દીવસ અગાઉ અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬), હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરી સંખ્યા નોંધાવવાની રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ છે. #MORBI TODAY