ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે


SHARE













મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે

પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન ભક્તિભાવ નો મહિમા અનેરો છે ત્યારે દેશભરમાંથી લોકો વિવિધ યાત્રાધામોના દર્શનાર્થે જતા હોય છે.સૌરાષ્ટ્રની પાવન ધરતી ઉપર વિવિધ યાત્રાધામો આવેલ છે તેથી વિવિધ સ્થળેથી લોકો સુપ્રસિધ્ધ યાત્રાધામોની મુલાકાતે આવતા હોય છે.ત્યારે યાત્રાળુઓ મોરબી મુકામે આરામ કરી શકે તેમજ તેમના માટે રહેવા-જમવાની ઉતમ વ્યવસ્થા થાય તે માટે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા તથા જયેશભાઈ ટોળીયાએ યાદીમાં જણાવ્યુ છે.

બહારગામથી આવતા યાત્રા સંઘ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે હેતુસર બે દીવસ અગાઉ અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬), હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરી સંખ્યા નોંધાવવાની રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ છે. #MORBI TODAY






Latest News