માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં જવાસા રોડ એક્સિસ બેન્ક વાળી શેરીમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વ્રજલાલ કારીયા જાતે લોહાણા (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, સનીભાઈ ભરતભાઈ ઠાકરાણી, ચિરાગભાઈ અશોકભાઈ ઠાકરાણી અને શામજીભાઈ અશોકભાઈ ગોરીયા રહે. તમામ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેની ભત્રીજી સાથે શામજીભાઈ અશોકભાઈ ગોરીયાને પ્રેમ સંબંધ હતો જે બાબતનું મન દુઃખ ચાલતું હોય આરોપીઓએ ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે શામજીભાઈએ ઢીકાપાટુનો મૂઢમાર મારીને ઇજા પણ કરી હતી જેથી ઈજા પામેલ હરેશભાઈએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામા પક્ષેથી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૨૪) રહે વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાએ મુન્નાભાઈ કારીયા, દેવ મુન્નાભાઈ કારીયા જેનીસ કરિયા અને કાળી રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ કેમ કાતર મારો છો તેવું કહીને ગાળો આપી હતી અને લાકડી તથા ધોકા વડે પગમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા મારામારીના આ બનાવ સંદર્ભે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે






Latest News