મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે વાડીની ઓરડીમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













મોરબીના લાલપર ગામે વાડીની ઓરડીમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


મોરબીના લાલપર ગામ પાસે વાડીની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે રહેતા દુર્લભજીભાઈ કેશવજીભાઈ જેતપરિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેમની વાડી લાલપર ગામની સીમમાં મિલેનિયમ કારખાનાની પાછળના ભાગમાં આવેલ છે તે વાડીની ઓરડીની અંદર કોઈ અજાણ્ય વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં મૃત્યુ પામેલ યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક વ્યક્તિનું નામ શૈલેષ બેચરભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે જોકે, તેને કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગેની કોઈ માહિતી હાલમાં સામે આવી ન હોય તે દિશામાં તપાસ ચાલી રહી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસેથી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગયો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં બાબુલાલ શોભેશ્વરનાથ જયસ્વાલ (૬૫) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટ્રકનું સ્ટેરીંગ લોક થઈ ગયું હોવાથી અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થયેલ છે તેવી માહિતી સામે આવી છે.






Latest News