મોરબીના મકનસર ગામે મહિલાની છેડતીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ
મોરબીના લાલપર ગામે વાડીની ઓરડીમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
મોરબીના લાલપર ગામે વાડીની ઓરડીમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના લાલપર ગામ પાસે વાડીની ઓરડીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે રહેતા દુર્લભજીભાઈ કેશવજીભાઈ જેતપરિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેમની વાડી લાલપર ગામની સીમમાં મિલેનિયમ કારખાનાની પાછળના ભાગમાં આવેલ છે તે વાડીની ઓરડીની અંદર કોઈ અજાણ્ય વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં મૃત્યુ પામેલ યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક વ્યક્તિનું નામ શૈલેષ બેચરભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે જોકે, તેને કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગેની કોઈ માહિતી હાલમાં સામે આવી ન હોય તે દિશામાં તપાસ ચાલી રહી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસેથી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગયો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં બાબુલાલ શોભેશ્વરનાથ જયસ્વાલ (૬૫) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટ્રકનું સ્ટેરીંગ લોક થઈ ગયું હોવાથી અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થયેલ છે તેવી માહિતી સામે આવી છે.