મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી બાઈક ચોરીમાં વિમેદારને વીમા રકમ વ્યાજ સહિત મળી
મોરબીમાં ગાયક મહમદ રફીને તા.૩૧ ના રોજ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં ગાયક મહમદ રફીને તા.૩૧ ના રોજ સંગીત શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે
સ્વ.મહાન ગાયક કલાકાર મહમદ રફીની યાદમાં ત. ૩૧-૭-૨૦૨૩ સોમવાર સાંજે ૫ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી રફી સાહેબના અતિચાહક મોરબીના ડો.બી.કે.લહેરૂ તરફથી ઓરકેષ્ટા પાર્ટી રાખવામાં આવેલ છે જેમાં સમાજના તમામ સંગીતપ્રેમી મહાનુભવોને જાહેર આમંત્રણ છે.તથા માત્ર રફી સાહેબના જ જે ગીત ગાવા માંગતા હોય તથા અન્ય કોઇ પાંચ મીનીટ માટે સ્પીચ આપવા માંગતા હોય તે તમામને પણ આમંત્રણ છે.વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૧૩૨ ૨૨૨૮૩ અથવા ૯૯૦૯૦ ૮૧૮૧૧ ઉપર સંપર્ક કરવો.કાર્યક્રમ શનાળા રોડ, મહાવીર સ્વામી ચોક, મહાવીર સોસાયટીનું સાર્વજનીક ગ્રાઉન્ડ ખાતે યોજસે.તેમ પ્રમુખ ડો.બી.કે લહેરૂ મહાવીર સોસાયટી આને શ્રી મોરબી વૈધ સભા તેમજ સીનીયર સીટીઝન કાઉન્સીલ આને મંત્રી અનીલભાઇ બુધ્ધદેવ, ડો.ચેતન અધારા તથા મહેશ ભટ્ટએ યાદીમાં જણાવેલ છે.