મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું


SHARE















ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું

મોરબી જિલ્લામાં ગત સપ્તાહમાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત હતી ત્યારે ખાતર મળી રહ્યું ન હતું જેથી કરીને ખેડૂતો હેરાન હતા જો કે, ધારાસભ્ય અને ખેડૂત આગેવાનોએ કરેલ જહેમતના લીધે હાલમાં મોરબીમાં ખતરનો જથ્થો આવી ગયેલ છે અને મોરબીના માર્કેટ યાર્ડમાં આવેલા ગોડાઉનમાંથી ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ યુરિયા ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે 

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂત દ્વારા વરાપ નિકળતાની સાથે ખેતી કામ શરૂ કરવામાં આવ્યું છે અને પાકના સારા વિકાસ માટે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે જો કે, ગત સપ્તાહમાં મોરબી જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે રાત ઉજાગરા કરે તો પણ ખાતર ન મળે તેવી પરિસ્થિતી હતી જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સહકારી તેમજ ખેડૂત આગેવાન મગનભાઇ વડાવિયા દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજથી મોરબીના માર્કેટ યાર્ડ માં આવેલા ગોડાઉન ખાતેથી હાલમાં ખેડૂતોને ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતો દ્વારા વરસાદ પડ્યો તેની સાથે જ આગોતરી વાવણી કરી હતી જે પાકને ખાતરની જરૂર હતી જો કે, હાલમાં શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂત કેન્દ્ર ખાતેથી હાલમાં જે ચાર ગાડી ખાતર આવેલ છે તેમાંથી તેની જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવી રહ્યું છે અને હજુ પણ ચાર ગાડી ખાતરની આવી રહી હોવાનું ધારાસભ્ય અને આગેવાને જણાવેલ છે 






Latest News