મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું


SHARE







ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું

મોરબી જિલ્લામાં ગત સપ્તાહમાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત હતી ત્યારે ખાતર મળી રહ્યું ન હતું જેથી કરીને ખેડૂતો હેરાન હતા જો કે, ધારાસભ્ય અને ખેડૂત આગેવાનોએ કરેલ જહેમતના લીધે હાલમાં મોરબીમાં ખતરનો જથ્થો આવી ગયેલ છે અને મોરબીના માર્કેટ યાર્ડમાં આવેલા ગોડાઉનમાંથી ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ યુરિયા ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે 

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂત દ્વારા વરાપ નિકળતાની સાથે ખેતી કામ શરૂ કરવામાં આવ્યું છે અને પાકના સારા વિકાસ માટે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે જો કે, ગત સપ્તાહમાં મોરબી જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે રાત ઉજાગરા કરે તો પણ ખાતર ન મળે તેવી પરિસ્થિતી હતી જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સહકારી તેમજ ખેડૂત આગેવાન મગનભાઇ વડાવિયા દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજથી મોરબીના માર્કેટ યાર્ડ માં આવેલા ગોડાઉન ખાતેથી હાલમાં ખેડૂતોને ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતો દ્વારા વરસાદ પડ્યો તેની સાથે જ આગોતરી વાવણી કરી હતી જે પાકને ખાતરની જરૂર હતી જો કે, હાલમાં શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂત કેન્દ્ર ખાતેથી હાલમાં જે ચાર ગાડી ખાતર આવેલ છે તેમાંથી તેની જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવી રહ્યું છે અને હજુ પણ ચાર ગાડી ખાતરની આવી રહી હોવાનું ધારાસભ્ય અને આગેવાને જણાવેલ છે 






Latest News