મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું


SHARE









ધારાસભ્ય-ખેડૂત આગેવાનની મહેનત રંગ લાવી: મોરબીમાં ખેડૂતોને યુરિયા ખાતર મળવા લાગ્યું

મોરબી જિલ્લામાં ગત સપ્તાહમાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત હતી ત્યારે ખાતર મળી રહ્યું ન હતું જેથી કરીને ખેડૂતો હેરાન હતા જો કે, ધારાસભ્ય અને ખેડૂત આગેવાનોએ કરેલ જહેમતના લીધે હાલમાં મોરબીમાં ખતરનો જથ્થો આવી ગયેલ છે અને મોરબીના માર્કેટ યાર્ડમાં આવેલા ગોડાઉનમાંથી ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ યુરિયા ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે 

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂત દ્વારા વરાપ નિકળતાની સાથે ખેતી કામ શરૂ કરવામાં આવ્યું છે અને પાકના સારા વિકાસ માટે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે જો કે, ગત સપ્તાહમાં મોરબી જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે રાત ઉજાગરા કરે તો પણ ખાતર ન મળે તેવી પરિસ્થિતી હતી જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને સહકારી તેમજ ખેડૂત આગેવાન મગનભાઇ વડાવિયા દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજથી મોરબીના માર્કેટ યાર્ડ માં આવેલા ગોડાઉન ખાતેથી હાલમાં ખેડૂતોને ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતો દ્વારા વરસાદ પડ્યો તેની સાથે જ આગોતરી વાવણી કરી હતી જે પાકને ખાતરની જરૂર હતી જો કે, હાલમાં શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂત કેન્દ્ર ખાતેથી હાલમાં જે ચાર ગાડી ખાતર આવેલ છે તેમાંથી તેની જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવી રહ્યું છે અને હજુ પણ ચાર ગાડી ખાતરની આવી રહી હોવાનું ધારાસભ્ય અને આગેવાને જણાવેલ છે 






Latest News