મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં OPS લાગુ કરો-BLO ના કામમાંથી શિક્ષકોને મુક્તિનો ઠરાવો કરાયો


SHARE















મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં OPS લાગુ કરો-BLO ના કામમાંથી શિક્ષકોને મુક્તિનો ઠરાવો કરાયો

મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની જિલ્લા કારોબારી બેઠક મળી હતી જેમાં જિલ્લા અને તાલુકાનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આ જિલ્લા કારોબારી બેઠકમાં જુદાજુદા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા સંગઠન દ્વારા થયેલા કાર્યોની માહિતી અને મુખ્ય એજન્ડાની માહિતી આપી હતી અને ખાસ કરીને દરેક તાલુકામાં સદસ્યતા અભિયાનની નામાવલી અને ક્યાં સુધી સદસ્યતા અભિયાન પોચ્યું તેની સમીક્ષા કરવામાં આવી હતી, દરેક તાલુકામાં મંડલ રચનાની સમીક્ષા, દરેક તાલુકાના શિક્ષકો પ્રશ્નોની ચર્ચા, સંગઠન દ્વારા ઘણા બધા શિક્ષકોના પ્રશ્નોનું ઉકેલ લાવવામાં આવ્યા અને હજુ પણ મુખ્ય પ્રશ્નો જેવા કે., જૂની પેન્શન યોજના, બી.એ.લો ની કામગીરીમાંથી મુક્તિ આપવી એવા પ્રશ્નો જલ્દી સંગઠન દ્વારા ઉકેલાશે. ત્યારબાદ કારોબારી માં સમરૂપ સત્રમાં વિપુલભાઈ અઘારા (કાર્યવાહક રાજકોટ જિલ્લા વિભાગ આર.એસ.એસ.) દ્વારા સંગઠનમાં દરેક કાર્યકર્તાઓએ સાથે રહી રાષ્ટ્રના હિત માટે સૌપ્રથમ કાર્ય કરવું જોઈએ અને રાષ્ટ્રને મજબૂત બનાવવું જોઈએ તેની માહિતી આપી અને ત્યારબાદ વિપુલભાઈ દ્વારા નવા કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને મોરબી તાલુકાની પુનઃરચના અને મોરબી જિલ્લામાં નવા કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી હતી જેમ કે. સંદીપભાઈ આદ્રોજાને જિલ્લા ટિમ સિનિયર ઉપાધ્યક્ષ તરીકે અંકિતભાઈ જોષીને મોરબી તાલુકાના મંત્રી તરીકે કલ્પેશભાઈ સરડવાને મોરબી તાલુકાના ઉપાધ્યક્ષ, જીજ્ઞેશભાઈ રાબડીયાને મોરબી તાલુકાના સહમંત્રી અને અભયભાઈ ઢેઢીને ટંકારાના ઉપાધ્યક્ષ રમેશભાઈ ચાવડાને જિલ્લા સહ કોષાધ્યક્ષ તરીકેનું દાયિત્વ સોંપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન જિલ્લાના પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવાએ કર્યું હતું.






Latest News