મોરબીની DWPS ના વિદ્યાર્થીઓએ તાપસે નેશનલ ગેમ્સમાં પહેલા જ દિવસે મેડલ જીત્યા
મોરબીના મકનસર ગામે રહેતો યુવાન કહ્યા વગર ગુમ, શોધખોળ શરૂ
SHARE
મોરબીના મકનસર ગામે રહેતો યુવાન કહ્યા વગર ગુમ, શોધખોળ શરૂ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ વિનોદભાઈ ત્રિવેદી (ઉમર ૩૭) નામનો યુવાન તા.૨૯-૭ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર પોતાનું બાઈક નંબર જીજે ૩ આરડી ૩૯૬૫ લઈને નીકળી ગયેલ છે. વાહનની આગળના ભાગે મહાદેવ લખેલ છે અને પાછળના ભાગે લાલુ અને મુળી લખેલ છે. અશોકભાઈ ત્રિવેદી ઘરેથી કોઈને કંઈક જાણ કર્યા વિના નીકળી ગયા હોય પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને જો આ બાબતે કોઈ કંઈ જાણ હોય કે કોઇપણ પ્રકારની માહિતી હોય તો મોબાઈલ નંબર ૬૩૫૫૨ ૯૭૪૦૪ ઉપર માહિતી આપવામાં આવે તેવી પરિવારજનો દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.