મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી


SHARE









મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી

આગામી ચોમાસુ સીઝનને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ, ખેડૂતોએ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા જાણીતા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.કોઈપણ સંજોગોમાં બિનઅધિકૃત વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી આવી ખરીદી ન કરવા અનુરોધ કરાયો છે.

વધુમાં, રાજ્યમાં ઉત્પાદન અને વેચાણ થતા આ કૃષિ ઈનપુટોની ગુણવત્તા તેમજ તેની ઉપલબ્ધતા (અછત) અંગે ખેડૂતોની રજૂઆતો કે ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ખેડૂતો સવારના ૧૦ થી સાંજના ૭ સુધી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી, ૨૩૦-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીનો રૂબરૂ અથવા ગુણવત્તા કે અછત અંગેની ફરિયાદો માટે મોરબી નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી (૦૨૮૨૨) ૨૪૧૭૨૨ ઉપર ટેલિફોનીક સંપર્ક કરી શકશે.તેમ મોરબી નાયબ ખેતી નિયામક (વિ.) ની યાદીમાં જણાવાયું છે.






Latest News