મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ક્રિકેટ રમવા ગયેલા બે સગીર પાણીમાં ડૂબી જતાં મોત: ડેડબોડી ફિરેન્સિક પીએમમાં ખસેડાઇ


SHARE















મોરબીમાં ઘરેથી ક્રિકેટ રમવા ગયેલા બે સગીર પાણીમાં ડૂબી જતાં મોત: ડેડબોડી ફિરેન્સિક પીએમમાં ખસેડાઇ

મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને બંને સગીરના મોત થયા હતા જેથી કરીને તે બંને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ પાણીના ખાડામાં બે સગીર ડૂબ્યા હોવાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને દેવેન્દ્રસિંહ સહિતની ટિમ ત્યાં પહોચી હતી અને ફાયર ટીમે દ્વારા પાણીમાં ડૂબી ગયેલા સગીરોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે પાણીમાંથી સાહિલ સંજયભાઈ શેખાણી (૧૭) અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકીયા (૧૪) રહે. બંને વીસીપરા મોરબી વાળાની બોડીને પાણીમાંથી કાઢી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં આ કેસની તપાસ કરી રહેલા હિતેશભાઇ મકવાણા  સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, બંને સગીર મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવા માટે રવિવારે ગયા હતા ત્યાર બાદ ત્યાંથી ન્હાવા માટે તેઓ ગયા હતા અને ત્યારે કોઈ કારણોસર તે બંને પાણીમાં ડૂબી જતાં તે બંનેના મોત નિપજ્યાં હતા અને તેની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે






Latest News