દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા
મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત
SHARE
મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નવી ટીંબડી ગામ તેમજ ગણેશનગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થતા ત્યાંના રહેવાસીઓએ પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી.ત્યાં જે પીવાના પાણીની પાઇપ લાઈન આવતી હતી તે હાલમાં વિભાગ દ્રારા બંધ કરવામાં આવતા ગ્રામજનોને પાણીની મુશ્કેલી ઉભી થતા ત્યાંના અગ્રણી રમેશભાઇ વડસોલા અને અન્ય ગ્રામજનો દ્વારા મોરબીના રવાપર રોડે આવેલ પાણી પુરવઠા વિભાગની ઓફીસે અધીકારીને આવેદનપત્ર આપ્યું હતું અને પાણીની હાલની લાઇન ચાલુ રાખવામાં માટે માંગ કરી હતી.જો પાણીની લાઈન બંધ કરવામાં આવશે તો નવી ટીંબડી અને ગણેશનગર સહિતના વિસ્તારમાં વસતા લોકોની હાલત કફોડી બનશે.નવી પાઇપ લાઇન નાંખવા માટે ગ્રામ પંચાયતને બે મહિના જેટલો સમય આપવામાં આવે અને ત્યાં સુધી જૂની પાણીની પાઇપ લાઈન ચાલુ રાખવામાં આવે તેવી માંગ લોકો દ્રારા કરવામાં આવી હતી.