મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત


SHARE















મોરબીના ટીંબડી તેમજ ગણેશનગર વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને કરી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા નવી ટીંબડી ગામ તેમજ ગણેશનગર વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થતા ત્યાંના રહેવાસીઓએ પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી.ત્યાં જે પીવાના પાણીની પાઇપ લાઈન આવતી હતી તે હાલમાં વિભાગ દ્રારા બંધ કરવામાં આવતા ગ્રામજનોને પાણીની મુશ્કેલી ઉભી થતા ત્યાંના અગ્રણી રમેશભાઇ વડસોલા અને અન્ય ગ્રામજનો દ્વારા મોરબીના રવાપર રોડે આવેલ પાણી પુરવઠા વિભાગની ઓફીસે અધીકારીને આવેદનપત્ર આપ્યું હતું અને પાણીની હાલની લાઇન ચાલુ રાખવામાં માટે માંગ કરી હતી.જો પાણીની લાઈન બંધ કરવામાં આવશે તો નવી ટીંબડી અને ગણેશનગર સહિતના વિસ્તારમાં વસતા લોકોની હાલત કફોડી બનશે.નવી પાઇપ લાઇન નાંખવા માટે ગ્રામ પંચાયતને બે મહિના જેટલો સમય આપવામાં આવે અને ત્યાં સુધી જૂની પાણીની પાઇપ લાઈન ચાલુ રાખવામાં આવે તેવી માંગ લોકો દ્રારા કરવામાં આવી હતી.






Latest News