મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી લેકસસ ગ્રેનાઇટોના બે ડિરેક્ટર સહિત ત્રણ આરોપીના કરોડોની ટેક્સ ચોરીના કેસમાં જામીન મંજુર


SHARE















મોરબી લેકસસ ગ્રેનાઇટોના બે ડિરેક્ટર સહિત ત્રણ આરોપીના કરોડોની ટેક્સ ચોરીના કેસમાં જામીન મંજુર

મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ ૧૪.૬૬ કરોડ રૂપિયાની ટેકસ ચોરીના ગુનામાં કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યા હતા જે ત્રણ આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને મોરબીના કોર્ટે આરોપીઓના જામીન મંજુર કરેલ છે

મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ ગ્રેનાઇટોના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની ધરપકડ સીજીએસટીની ટીમે થોડા દિવસો પહેલી કરી હતી અને તે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરાયા હતા ત્યારે અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતુ વર્ષ ૨૦૨૧-૨૨ થી લઈને હાલ સુધીમાં કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અને માલની ખરીદ વેચાણમાં અન્ડર વેલ્યુ અને વિધાઉટ બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને ૧૪.૬૬ કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી છે જે ટેકસ ચોરીનો કેસ આજે મોરબીના એડી. ડીસ્ટ્રક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમા આરોપીના વકીલ અપુર્વ મહેતા દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરેલ છે અને બે કરોડ રૂપિયા જમા કરાવી દેશે તેવી આરોપીઓના વકીલ દ્વારા કોર્ટમાં બાંહેધરી પણ આપેલ છે તેવુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે






Latest News