મોરબી જીલ્લામાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા કોન્ટ્રાકટરની ધરપકડ
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ફરજ બજાવતા ભરતભાઈ પટેલ શિક્ષક તરીકે ૩૮ વર્ષ સુધી ફરજ બજાવીને સ્વૈચ્છીક નિવૃત થયેલ છે ત્યારે માધાપરવાડી કુમાર શાળા પરિવાર દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ આ શાળામાં બદલીને આવેલ કલ્પનાબેન બરાસરા, અનિલભાઈ સરસાવડીયા તેમજ સુભાષભાઈ ખાંભરા તાલુકા શાળા નં-૧ ના આચાર્ય તરીકે બદલીને આવતા એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને શુભાષભાઈ ખાંભરાએ નિવૃત થતા શિક્ષકની સેવાને બિરદાવી હતી, દિનેશભાઈ વડસોલાએ પોતાની આગવી શૈલીમાં ભરતભાઈના શિક્ષક તરીકેના લાંબા કાર્યકાળને વાર્તાના માધ્યમથી સુંદર ઉક્તિઓથી વર્ણવ્યો હતો. અને અંતમાં શાળા પરિવાર વતી સાકર અને નાળિયેરનો પળો તેમજ સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી વિદાયમાન અપાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લભાઈ સાંણદિયાએ કર્યું હતું









