મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો


SHARE













મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ફરજ બજાવતા ભરતભાઈ પટેલ શિક્ષક તરીકે ૩૮ વર્ષ સુધી ફરજ બજાવીને સ્વૈચ્છીક નિવૃત થયેલ છે ત્યારે માધાપરવાડી કુમાર શાળા પરિવાર દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ આ શાળામાં બદલીને આવેલ કલ્પનાબેન બરાસરા, અનિલભાઈ સરસાવડીયા તેમજ સુભાષભાઈ ખાંભરા તાલુકા શાળા નં-૧ ના આચાર્ય તરીકે બદલીને આવતા એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને શુભાષભાઈ ખાંભરાએ નિવૃત થતા શિક્ષકની સેવાને બિરદાવી હતી, દિનેશભાઈ વડસોલાએ પોતાની આગવી શૈલીમાં ભરતભાઈના શિક્ષક તરીકેના લાંબા કાર્યકાળને વાર્તાના માધ્યમથી સુંદર ઉક્તિઓથી વર્ણવ્યો હતો. અને અંતમાં શાળા પરિવાર વતી સાકર અને નાળિયેરનો પળો તેમજ સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી વિદાયમાન અપાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લભાઈ સાંણદિયાએ કર્યું હતું






Latest News