મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો
વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યસભાના સાંસદનું કરાયું અભિવાદન
SHARE
વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યસભાના સાંસદનું કરાયું અભિવાદન
વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદ તરીકે નવ નિયુક્ત થયેલ મહારાજા કેસરીદેવસિંહજીનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો જેમાં વાંકાનેર સહિત મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડો.લાભુબેન કારાવદરા સુરેન્દ્રનગર અને મોરબી વિભાગના મહિલા સંગઠન મંત્રી, દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ જિલ્લા, અશોકભાઈ સતાસિયા, મનીષભાઈ બારૈયા, મંગુભાઈ પટેલ, મયુરસિંહ, હસમુખભાઈ પરમાર, ડાયાલાલ બારૈયા, અભયભાઈ ઢેઢી વગેરે લોકો હાજર રહ્યા હતા અને સાલ ઓઢાળીને મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું મહારાજા કેસરીદેવસિંહજીએ પણ પોતાના પ્રતિભાવ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા જ ભારતના ભવિષ્યનું ઘડતર થાય છે ત્યારે હું પણ એક વખત આપના જેવા જ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવ્યું છે આવો આપણે સૌ સાથે મળી વાંકાનેર અને મોરબી પંથકના વિકાસમાં સહભાગી બનીએ અને ભારતના ભવ્ય નિર્માણમાં સિંહફાળો આપીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ સોનીએ કર્યું હતું









