વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદનું લુણસર ગામના આગેવાનોએ કર્યું સન્માન
મોરબી જીએસટી કચેરીમાંથી નિવૃત થયેલા ભરતસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબી જીએસટી કચેરીમાંથી નિવૃત થયેલા ભરતસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો
મોરબી સ્ટેટ જીએસટી કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક ભરતસિંહ જી. જાડેજા વય મર્યાદાના લીધે નિવૃત થયેલ છે ત્યારે તેમનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો અને ત્યારે સમારોહનાં અધ્યક્ષ સ્થાને સહાયક રાજ્ય વેરા કમિશનર બી.બી. ઉપાધ્યાય અને ઇ.ડી. અજાગિયા ઉપસ્થિત રહેલ હતા. અને કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીગણએ નિવૃત થતાં અધિકારીને શાલ ઓઢાળીને સન્માન આપ્યું હતું અને ત્યારે ભરતસિંહ જી. જાડેજાના પરિવારજનો પણ ત્યાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મહિપાલસિંહ જાડેજાએ કર્યું હતું