મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત


SHARE







વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત

વાંકાનેર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટર પાસે બહારના ભાગમાં ખાટલો રાખીને યુવાન સૂતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં તે યુવાને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટરમાં રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ જાતે અનુ. જાતી (૪૦) પોતાના ઘર પાસે બહારના ભાગમાં ખાટલો નાખીને સૂતા હતા દરમિયાન કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક સીરામીક કારખાનામાં રહેતા અને કામ કરતા બબલુભાઈ લખનભાઇ મારડી (૩૨) સીરામીક કારખાનાની લેબર ક્વાર્ટરમાં ઘરે સુતા હતા ત્યારે અગમ્ય કારણોસર શ્વાસ બંધ થઈ જતા તેને રીક્ષામાં તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News