આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે સિરામિક કારખાનામાં દાઝી ગયેલ આધેડનું સારવારમાં મોત


SHARE













મોરબીના રંગપર પાસે સિરામિક કારખાનામાં દાઝી ગયેલ આધેડનું સારવારમાં મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન આધેડ દાઝી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેથી કરીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આવેલ લેમસ્ટોન સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શ્યામલાલ નાનકુભાઈ કોલો (ઉમર ૪૯) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે ભઠ્ઠીમાંથી ગરમ માટી ઉડતા દાઝી ગયા હતા જેથી કરીને દાજી ગયેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ.જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના માધાપરા વિસ્તારમાં આવેલ હનુમાન ચોક પાસે રહેતા સુકન્યાબેન સંજયકુમાર જાદવ નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર અજાણી દવાની ગોળીઓ પી ગયા હતા જેથી કરીને તેઓને ઉલ્ટી અને ઉબકા થવા લાગતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે. અધિકારી વી.કે.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે ભોગ બનેલ સુકન્યાબેન જાદવ ભૂલથી અજાણી દવાના ટીકળા ખાઈ ગયા હતા..!

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા હિતેશભાઈ મૂળુભાઈ જીલરીયા નામના ૪૭ વર્ષના આધેને વાહન અકસ્માતમાં ઈજા તથા તેઓને સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે, હિતેશભાઈ જીલરીયાને મોરબીના વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News