માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે બનેલ બનાવ સંદર્ભે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું


SHARE













ટંકારાના નેકનામ ગામે બનેલ બનાવ સંદર્ભે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે પરબે પીવાનું પાણી ભરવા બાબતે અનુસૂચિત જાતિના સગીર વયના બાળકને માર મરવામાં આવ્યો હતો અને અને તેના પિતાને પણ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી જો કે, મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગુનો નોંધવામાં બેદરકારી કરનાર પીએસઆઇ તેમજ ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારાના નેકનામ ગામે થોડા દિવસો પહેલા અનુસૂચિત જાતિનો સગીર વયનો બાળક ગામના પીવાના પરબે પાણી ભરવા ગયો હતો ત્યારે એક તેને માર માર્યો હતો અને તેના પિતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને હુમલો કર્યો હતો. જેથી બાળકને સારવાર માટે ટંકારા લઈને ગયા હતા જો કે, ડોક્ટરે ફરજમાં બેદરકારી દાખવી બાળકને રીફર કરી દીધો હતો અને આ બનાવની ફરિયાદ લેવામાં ટંકારાના પીએસઆઇએ બેદરકારી રાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હુમલાખોર તેમજ બેદરકારી દાખવનાર અધિકારી તેમજ ડોકટર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે 






Latest News