ટંકારાના નેકનામ ગામે બનેલ બનાવ સંદર્ભે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
મોરબીમાં કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપો પાયા વિહોણા: સિરામીક એસો.ની સ્પષ્ટતા
SHARE
મોરબીમાં કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપો પાયા વિહોણા: સિરામીક એસો.ની સ્પષ્ટતા
મોરબી કોંગ્રેસના આગેવાનએ રફાળેશ્વર પાસે પેપરમીલ અને સિરામિક ઉદ્યોગ દ્વારા કચરો નાખવામાં આવે છે અને ડેમના પાણીને પ્રદુષિત કરે છે તેવી માહિતી સાથેના સમાચાર આપવામાં આવ્યા હતા જેની સામે મોરબી સીરામીક એસો.એ સ્પષ્ટતા કરી છે કે, સિરામીક ઉદ્યોગ દ્વારા ઘન કચરાનો રિયુઝ કરવામાં આવે છે અને કોઈ કારખાનામાંથી કચરો બહાર ફેંકવામાં આવતો નથી અને કોંગ્રેસનાં આક્ષેપ પાયા વિહોણા છે
હાલમાં મોરબી સિરામીક એસો.ના પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કોંગ્રેસ સમિતીના આગેવાનો દ્વારા સિરામિક યુનિટમાંથી નીકળતા કેમિકલ યુક્ત કચરાણે રફાળેશ્વર પાસે નાખવામાં આવે છે જે પાયા વિહોણો આક્ષેપ છે સિરામિક ઉદ્યોગની પ્રોસેસમા જે ઘન કચરો નિકળે છે તે ફરી વખત સિરામીક પ્રોસેસમા વપરાય છે. જેથી ઘન કચરો બહાર નાખવામાં આવતો નથી વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, પ્રોડક્શન કોસ્ટ નીચી આવે તેના માટે ઘન કચરાનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે તેમજ સિરામિકનો ઘન કચરો હાલમાં બજારમાં વેચાય છે અને ફરી વખત વાપરીને ટાઇલ્સ બનાવવમાં આવે છે. જેથી કરીને મચ્છુ-૨ ડેમ નજીક ઠલવાતો કેમિકલ યુક્ત કચરો સિરામિક ઉદ્યોગનો નથી અને કોંગ્રેસે કરેલા આક્ષેપને પાયા વિહોણા છે તેવું પણ જણાવ્યુ છે