મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપો પાયા વિહોણા: સિરામીક એસો.ની સ્પષ્ટતા


SHARE







મોરબીમાં કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપો પાયા વિહોણા: સિરામીક એસો.ની સ્પષ્ટતા

મોરબી કોંગ્રેસના આગેવાનએ રફાળેશ્વર પાસે પેપરમીલ અને સિરામિક ઉદ્યોગ દ્વારા કચરો નાખવામાં આવે છે અને ડેમના પાણીને પ્રદુષિત કરે છે તેવી માહિતી સાથેના સમાચાર આપવામાં આવ્યા હતા જેની સામે મોરબી સીરામીક એસો.એ સ્પષ્ટતા કરી છે કે, સિરામીક ઉદ્યોગ દ્વારા ઘન કચરાનો રિયુઝ કરવામાં આવે છે અને કોઈ કારખાનામાંથી કચરો બહાર ફેંકવામાં આવતો નથી અને કોંગ્રેસનાં આક્ષેપ પાયા વિહોણા છે

હાલમાં મોરબી સિરામીક એસો.ના પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કોંગ્રેસ સમિતીના આગેવાનો દ્વારા સિરામિક યુનિટમાંથી નીકળતા કેમિકલ યુક્ત કચરાણે રફાળેશ્વર પાસે નાખવામાં આવે છે જે પાયા વિહોણો આક્ષેપ છે સિરામિક ઉદ્યોગની પ્રોસેસમા જે ઘન કચરો નિકળે છે તે ફરી વખત સિરામીક પ્રોસેસમા વપરાય છે. જેથી ઘન કચરો બહાર નાખવામાં આવતો નથી વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, પ્રોડક્શન કોસ્ટ નીચી આવે તેના માટે ઘન કચરાનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે તેમજ સિરામિકનો ઘન કચરો હાલમાં બજારમાં વેચાય છે અને ફરી વખત વાપરીને ટાઇલ્સ બનાવવમાં આવે છે. જેથી કરીને મચ્છુ-૨ ડેમ નજીક ઠલવાતો કેમિકલ યુક્ત કચરો સિરામિક ઉદ્યોગનો નથી અને કોંગ્રેસે કરેલા આક્ષેપને પાયા વિહોણા છે તેવું પણ જણાવ્યુ છે






Latest News