મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના પાડધારા-ભેરડા વચ્ચે ઇલેક્ટ્રીક વાયરને ડમ્પરની ટ્રૉલી અડી જતાં એક યુવાનનું મોત: એક ગંભીર


SHARE













વાંકાનેરના પાડધારા-ભેરડા વચ્ચે ઇલેક્ટ્રીક વાયરને ડમ્પરની ટ્રૉલી અડી જતાં એક યુવાનનું મોત: એક ગંભીર

વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ ક્યુરેટા સીરામીકમાં રહેતા અને કામ કરતો યુવાન ડમ્પર લઈને પાડધારા અને ભેરડા વચ્ચે નવી ખાણ ચાલુ થવાની હતી ત્યાં માટી નાખવા માટે ગયો હતો ત્યારે ડમ્પરની ટ્રૉલી ઇલેક્ટ્રીક વાયરને અડી જવાથી આખું ડમ્પર શોર્ટ થયું હતું ત્યારે દંપરના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને જેની ખાણ આજથી ચાલુ થવાની હતી તેને ગઇકાલે શોર્ટ લાગતાં તે યુવાનને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપીને હાલમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ ક્યુરેટા કારખાનામાં રહેતા મૂળ એમપીના રહેવાસી સંજયભાઈ હિમતાભાઈ પરમાર (૩૮) તથા પાડધરા ખાણ વિસ્તારમાં રહેતા જાંજભાઇ નાથાભાઇ પરમાર (૩૦) બંને પાડધરા અને ભેરડા વચ્ચે હતા ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને સંજયભાઈ પરમારનું મોત નીપજ્યું હતું અને જાંજભાઇ પરમારને ઇજાઓ થઈ હતી માટે તાત્કાલિક ૧૦૮ મારફતે તે બંનેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે સંજયભાઈ પરમારને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને જાંજભાઇ પરમારને ગંભીર ઈજા હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચાલવી રહ્યા હોય તેની સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે, જાંજભાઇ નાથાભાઇ પરમારની ખાણ આજથી શરૂ થવાની હતી જેથી કરીને મૃતક સંજયભાઈ પરમાર તેના હવાલ વાળા ડમ્પરમાં માટી ભરીને ત્યાં રસ્તાને સરખો કરવા માટે ગયા હતા અને માટી ડમ્પરમાંથી નીચે નાખી દીધા પછી ટ્રેલી નીચે બેઠી ન હતી ત્યાં ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક વાયરને ડમ્પર અડી ગયું હતું જેથી કરીને આખું ડમ્પર શોર્ટ થયું હતું ત્યારે સંજયભાઇનું મોત નીપજયું છે અને ઇજાગ્રસ્ત હાલતમાં જાંજભાઇ નાથાભાઇ પરમારને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે






Latest News