મોરબીમાં જુગારની બે રેડ: શનાળાના ઉપસરપંચ સહિત ૧૨ જુગારી પકડાયા, ૬ નાસી ગયા !
મોરબીના રણછોડનગર પાસે નિધિ પાર્કમાં વરસાદી પાણી-ગંદકીથી લોકો હેરાન
SHARE
મોરબીના રણછોડનગર પાસે નિધિ પાર્કમાં વરસાદી પાણી-ગંદકીથી લોકો હેરાન
મોરબીના રણછોડનગર વિસ્તાર પાસે આવેલ નિધિ પાર્કમાં છેલ્લા ચાર વર્ષથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેના નિકાલ માટે થઈને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈને પાલિકા સુધી અવારનવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે તેમ છતાં પણ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી માટે નિધી પાર્કમાં રહેતા લોકોને હેરાન છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત મોહરમના પર્વ દરમિયાન પણ તે વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને ગંદકી વચ્ચે લોકોને પસાર થવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે લોકોને જાત મહેનત જિંદાબાદ કરીને તે પાણીને હટાવવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા જો કે, આ વિસ્તારમાં વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ વરસાદી પાણી ભરાઈ જાય છે અને ગંદકીના કારણે લોકોને પોતાના ઘર પાસે બેસવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે લોકોની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે