મોરબી અભયમની ટીમે દાદીએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું
SHARE
મોરબી અભયમની ટીમે દાદીએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું
મોરબી ૧૮૧ અભયમની ટીમે કાઉન્સિલિંગ કરીને ઘરેથી બોલાચાલી બાદ નીકળી ગયેલ અમદાવાદની કિશોરીનુ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, અભયમ મહિલા હેલ્પલાઇનને જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, સરદાર બાગ બગીચામાં એક પીડિત કિશોરી છેલ્લા ત્રણ દિવસથી ગભરાયેલ બેઠી છે. જેથી પિડીત કિશોરી પાસે જઈને કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ દ્વારા તેનું કાઉન્સિંલિંગ કરવામાં આવ્યું હતું
ત્યારે કિશોરી ખુબ જ ગભરાયેલી હતી અને તેની સમસ્યાના બાબતે પૂરતી મદદ કરવા ભરોશો આપવામાં આવ્યો હતો ત્યાર પછી તેને જણાવ્યુ હતું કે, તેના પિતા મૃત્યુ પામ્યા અને તેમના માતાએ બીજા લગ્ન કરી લીધા છે. અને તે અને તેનો નાનો ભાઈ બંને મારા દાદી સાથે અમદાવાદ રહીએ છીએ. અને ત્યાં કામકાજ બાબતે તેની દાદી વારંવાર ઠપકો આપતા હતા અને ત્રણેક દિવસ પહેલા દાદી સાથે તકરાર થતાં તેને ખોટું લાગતા ઘર છોડીને નીકળી ગઈ હતી અને મોરબીમાં આવી ગયેલ છે જેથી ૧૮૧ ની ટીમે કિશોરીના દાદી સાથે ફોન ઉપર વાત કરી હતી અને તેના મોટા બાપુ સાથે વાત કરીને માહિતી આપી હતી અને આ કિશોરીના મોટા બાપુનો દીકરો વાંકાનેરમાં હોસ્પિટલમાં કામ કરે છે અને વહુ સાથે ત્યાં જ રહે છે જેથી તેનો સંપર્ક કરીને કિશોરીના ભાઈ-ભાભી સાથે વાતચીત કરીને તેને સોપવામાં આવેલ છે