મોરબીના લીલાપર-જોધપર રોડે બાઈકને મેટાડોરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના જલારામ મંદિરે શ્રાવણ માસમાં બરફના શિવલીંગના દર્શનનું આયોજન
SHARE
મોરબીના જલારામ મંદિરે શ્રાવણ માસમાં બરફના શિવલીંગના દર્શનનું આયોજન
મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૨૧-૮ ના રોજ બરફના શિવલીંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવભક્તો માટે પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ફરાળ મહાપ્રસાદ યોજાશે.
મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવાર તા.૨૧-૮ ના રોજ બપોરે ૪ કલાક થી શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ આયોજન કરવામાં આવેલ છે. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવશે. અને જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવશે. તેમજ મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી (૮૭૫૮૧૨૦૪૩૫), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬), હીતેશભાઈ જાની (૯૮૨૫૩૨૬૭૨૯), ચિરાગભાઈ રાચ્છ (૯૦૯૯૬૦૦૦૮૧) નો સંપર્ક કરવો નિર્મિતભાઇ કકકડે જણાવ્યુ છે.









