મોરબીના જલારામ મંદિરે શ્રાવણ માસમાં બરફના શિવલીંગના દર્શનનું આયોજન
મોરબીના નાની વાવડી ગામે મોરારીબાપુની કથાના સ્થળની મુલાકાત લેતા સાંસદ
SHARE
મોરબીના નાની વાવડી ગામે મોરારીબાપુની કથાના સ્થળની મુલાકાત લેતા સાંસદ
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના પછી નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવાં આવ્યું હતું ત્યારે મોરબીના નાનીવાવડી ખાતે આવેલા મોરારી બાપુએ ઘટનાની પ્રથમ વારસી સુધીમાં રામકથા ત્યાં કરવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે આગામી તા ૧/૧૦/૨૩ થી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રામકથા આયોજન સમિતિની બેઠક મળી હતી અને કથાનું સચોટ આયોજન કરવા ગ્રાઉન્ડની મુલાકાત પણ લીધી હતી ત્યારે કબીર આશ્રમના મહંત મહામંડલેશ્વર શિવરામદાસજી, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડ્સુંબિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, ગણેશભાઈ ડાભી, પાલિકાના માજી સભ્ય જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને શિવમદાસજીએ જણાવ્યું હતું કે, મોરબીમાં યોજાનારી આ કથાનું ૧૭૦ દેશમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મોરબીમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન રામકથા થવાની છે જેને લઇને હાલ આયોજન સમિતિમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.









