મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે પતિ સહિતના સાસરિયાં તરફથી ત્રાસ: ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં માવતરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે પતિ સહિતના સાસરિયાં તરફથી ત્રાસ: ગુનો નોંધાયો

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં હાલમાં માવતરે રહેતી પરણીતાએ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે શારીરિક માનસિક ત્રાસ દેતા હોવાની ફરિયાદ કરી છે તેમજ કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને મેણાં ટોણાં મારી મારકુટ કરતા હોવાનું મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યુ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને પતિ સહિતનાઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર લાતી પ્લોટ વિસ્તાર બહાર લાલ બહાદુર સોસાયટીના રહેવાસી અને હાલમાં વાંકાનેર શહેરના મિલ પ્લોટ શેરી નં-૨ માં માવતરના ઘરે રહેતા પારૂલબેન સંજયભાઈ સોલંકી (ઉમર ૩૯) એ હાલમાં તેમના પતિ સંજયભાઈ ભીખાભાઈ સોલંકી, સસરા ભીખાભાઈ ગોવિંદભાઈ સોલંકી, સાસુ શાંતુબેન ભીખાભાઈ સોલંકી, દિયર અનિલભાઈ ભીખાભાઈ સોલંકી અને નણંદ લતાબેન ભીખાભાઈ સોલંકી રહે.બધા જોરાવરનગર લાતી પ્લોટ વિસ્તાર બહાર લાલ બહાદુર સોસાયટી સુરેન્દ્રનગર વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યૂ છે કે, તેને નાની નાની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને કરિયાવર ઓછો લાવી છો તેવું કહી મેણાં ટોણાં મારીને મારકૂટ પણ કરવામાં આવતી હતી તથા તેના પતિને ખોટી ચડામણી કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલાના પતિ સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

સગીર સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતો હર્ષિત ચેતનભાઇ પરમાર (ઉંમર વર્ષ ૧૨) નામનો સગીરવયનો બાળક પોતાના ઘરેથી ટ્યુશનમાં સાયકલ લઈને જતો હતો ત્યારે રસ્તામાં સાયકલ સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં હર્ષિતને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા.જયાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.
 
મારામારીમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામની પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે રહેતા ચાંદનીબેન જીગ્નેશભાઈ ગણાત્રા નામની ૩૨ વર્ષની લોહીણા મહિલાને ત્યાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટાઉનશીપ વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી તકરાર બાદ મોટાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને તે બનાવમાં ચાંદનીબેનને ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.





Latest News