મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વીમો આપવાની ના પાડતી કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે વીમો ચૂકવવા આદેશ


SHARE







મોરબીમાં વીમો આપવાની ના પાડતી કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે વીમો ચૂકવવા આદેશ

મોરબીની મહિલાએ હોમ ફાયનાન્સ કંપનીમાંથી મકાનની લોન લીધા બાદ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ વીમા કંપનીએ ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી કરીને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને ૩,૫૯,૯૮૬ રૂપિયા આઠ ટકા વ્યાજ સાથે તેમજ ખર્ચના દશ હજાર ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી હતી કે, મોરબીના વતની દિલીપભાઇ પ્રભુભાઇ રાવલના પુત્ર વધુ ચાર્મીબેને હોમ ફાઇન્સ કંપનીમાંથી મકાનની લોન લીધેલ અને તેમનુ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ કંપની સામે વીમા અંગેની માંગણી કરી હતી અને વીમા કંપનીએ ચાર્મીબેનને ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી કરીને દિલીપભાઇએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરેલ હતો અને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને ૩,૫૯,૯૮૬ આઠ ટકા ના વ્યાજ સાથે અને ૧૦૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે.





Latest News