મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ


SHARE













મોરબીની ભારતી વિદ્યાલયમાં લોકશાહીનું જતન કરવા માટે જીએસ અને મોનિટરની ચુંટણી યોજાઇ

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલય શાળામાં લોકશાહી પ્રણાલી મુજબ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગના મોનિટર અને જીએસની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતી આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના ધોરણ ૬ થી૧૨ ના કુલ ૪૮ વિદ્યાર્થીએ વર્ગખંડમાં મોનિટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી તેમજ ૧૫ વિદ્યાર્થીઓએ શાળાના ૬ થી ૮ અને ૯ થી ૧૨ ના માધ્યમમાં GS (જનરલ સેક્રેટરી) માટે પોતાનું નામાંકન કરાવ્યુ હતું

આ ચૂંટણી જૂની અને વિશ્વસનીય પદ્ધતિ એટલે કે બેલેટ પેપરથી કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીને તેમને યોગ્ય લાગતા એક ભાઈ અને એક બેન એમ બંને વ્યક્તિને એક - એક મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો આ પ્રક્રિયામાં શાળાના ધો. ૬ થી ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી ભાગ લીધેલ તેમજ સરેરાશ ચૂંટણી મતદાનની ટકાવારી ૮૯.૧૮ % થઇ હતી. જેમાં ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ દ્વારા ૧૦૦ % મતદાન કરવામાં આવેલ હતું તો શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે, આ ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળ્યું છે અને ભવિષ્યમાં જ્યારે ૧૮ વર્ષની ઉંમર બાદ મત દેવાનો અધિકાર તેઓને મળશે ત્યારે તેમને આ ઉપયોગી બનશે અને આ તકે શાળા સ્થાપક લાલજીભાઈ મહેતાશાળાના માર્ગદર્શક કિશોરભાઈ જાની અને દિપેનભાઈ ભટ્ટ આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ પરિવારે જે જહેમત ઉઠાવી હતી 




Latest News