મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા ભાઈને ભાઈએ માર માર્યો


SHARE













મોરબીમાં ઘરમાં ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા ભાઈને ભાઈએ માર માર્યો

મોરબીના વજેપર વિસ્તારમાં ઘરમાં ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા ભાઈને તેના જ ભાઈએ ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત ભાઈએ તેના જ ભાઈની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબીના વજેપર શેરી નં-૧૫ ઉપર રહેતા કરસનભાઈ ભીમજીભાઇ કંઝારીયા જાતે સતવારા (૫૨)એ હાલમાં તેના ભાઈ પોપટભાઈ ભીમજીભાઈ કંઝારીયા રહે. વજેપર શેરી નં-૧૫ વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરની અંદર ટીવી ચાલુ રાખીને રસોઈ બનાવતા હતા જે બાબત તેના ભાઈને સારું નહીં લાગતા તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો જેથી કરીને ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી કરસનભાઈ કંઝારિયાને સારવાર માટે હોસ્પિટલ લઈને લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ તેણે પોતાના ભાઈ પોપટભાઈ ભીમજીભાઈ કંઝારીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપ પાસે આવેલ ઓમ મિનરલ કારખાનામાં રહેતા અને કામ કરતા ગોબરીયા નીનામા (૨૮) નામનો યુવાન બાઇક લઈને જેતપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઈક અને જેસીબી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં જઈને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતાના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ જસપાલસિંહ જાડેજા રહ્યા છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના ગાળા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહેશ બાવજી જીતીયા (૪૦) અને ગીતાબેન મહેશભાઈ જીતીયા નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જસપાલસિંહ જાડેજા રહ્યા .








Latest News