મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર નજીક રસ્તા ઉપર ઢોર આડુ આવતા બાઇક સ્લીપ થવાથી વૃદ્ધનું મોત


SHARE













મોરબીના અમરનગર નજીક રસ્તા ઉપર ઢોર આડુ આવતા બાઇક સ્લીપ થવાથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા વૃદ્ધ વાવડી ગામ તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે સર્વોદય હોટલ સામેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેના બાઈકની આડે ઢોર ઉતરતા તેને બચાવવા જતા મોટર સાયકલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને વૃદ્ધને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામે રહેતા હીરાભાઈ ગંગારામભાઈ વીંધાણી જાતે વાણંદ (૬૦) પોતાનું બાઈક નંબર જીજે ૩ સીડી ૨૩૬૨ લઈને પોતાના ઘરેથી મોરબી વાવડી બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે સર્વોદય હોટલ સામેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ઢોર ઉતર્યું હતું જેને બચાવવા જતા હીરાભાઈનું બાઈક સ્લીપ થઈ ગયું હતુ જેથી તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને ૧૦૮ મારફતે તાત્કાલિક મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતક હીરાભાઈના દીકરા અંકિતભાઈ હીરાભાઈ વિંધાણી (૨૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ એએસઆઈ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News