મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર નજીક રસ્તા ઉપર ઢોર આડુ આવતા બાઇક સ્લીપ થવાથી વૃદ્ધનું મોત


SHARE













મોરબીના અમરનગર નજીક રસ્તા ઉપર ઢોર આડુ આવતા બાઇક સ્લીપ થવાથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા વૃદ્ધ વાવડી ગામ તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે સર્વોદય હોટલ સામેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેના બાઈકની આડે ઢોર ઉતરતા તેને બચાવવા જતા મોટર સાયકલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને વૃદ્ધને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામે રહેતા હીરાભાઈ ગંગારામભાઈ વીંધાણી જાતે વાણંદ (૬૦) પોતાનું બાઈક નંબર જીજે ૩ સીડી ૨૩૬૨ લઈને પોતાના ઘરેથી મોરબી વાવડી બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે સર્વોદય હોટલ સામેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ઢોર ઉતર્યું હતું જેને બચાવવા જતા હીરાભાઈનું બાઈક સ્લીપ થઈ ગયું હતુ જેથી તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને ૧૦૮ મારફતે તાત્કાલિક મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતક હીરાભાઈના દીકરા અંકિતભાઈ હીરાભાઈ વિંધાણી (૨૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ એએસઆઈ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News