મોરબીના અમરનગર નજીક રસ્તા ઉપર ઢોર આડુ આવતા બાઇક સ્લીપ થવાથી વૃદ્ધનું મોત
મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત
મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લાપસી જતા પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેની લાશ પાણીમાં દેખાતા તેને બહાર કાઢીને ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની મૃતકના નાના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માતાના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ યુપીના ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં મેગાસિટી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિનોદકુમાર નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૩૩) ઉંચી માંડલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લપસતા પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેની લાશ એકોર્ડ પ્લસ સીરામીક કારખાનાની સામે આવેલ નાલા પાસે તરતી હોય તેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના નાનાભાઈ બબલુ નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૨૭) રહે. હાલ મેગાસિટી સીરામીક મૂળ રહે. યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે









