દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા


SHARE













મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા

મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી મર્ડરના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે, ફરિયાદીના ભાણેજની પત્ની સાથે આરોપી મનસુખ ખીમાભાઈને આડા સંબંધ હોય જેથી ફરિયાદીનો ભાણેજ (મરણ જનાર) આરોપીના ઘરે બોલાવવા જતા અન્ય આરોપીઓએ ફરિયાદીના ભાણેજને પકડી ઢીકાપાટુનો માર મારીને છાતીમાં છરીનો ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું.જે બનાવ બાબતે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ મનસુખ ખીમાભાઈ, જયશ્રીબેન મનસુખભાઈ અને સામજીભાઇ ખીમાભાઈની ધરપકડ કરી હતી.

સદરહું કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચણીયા રોકાયેલ હતા જેમાં ફરિયાદી પક્ષે ફરિયાદી અને અન્ય સાહેદો તથા પંચો અને ડોક્ટર, તપાસ કરનાર અધિકારી વિગેરેની જુબાનીઓ લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વિપરીત હકીકત જણાવેલ છે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદો તેમના મૌખિક પુરાવાઓમાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનોને સમર્થન આપેલ નથી કોર્ટે બંને પક્ષકારોની તમામ દલીલો ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.ઉપરોકત કેસમાં આરોપી તરફેથી એડ.જીતેન અગેચણીયા, સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, ભુવનેશભાઈ શાહી, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડિયા અને રવિ ચાવડા રોકાયેલ હતા.






Latest News