મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા
ચંદ્રયાન- ૩ ના સફળ લેન્ડિંગ બાદ મોરબી શહેર અને જિલ્લા ભાજપે કરી ઉજવણી
SHARE
ચંદ્રયાન- ૩ ના સફળ લેન્ડિંગ બાદ મોરબી શહેર અને જિલ્લા ભાજપે કરી ઉજવણી
ચંદ્રયાન- ૩ ના લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની નજર હતી. અને ચંદ્રયાનનું ચંદ્ર ઉપર સફળતા લેન્ડિંગ કરતની સાથે જ દેશ ભરમાં ઉજવણી શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેશન પાસે ચંદ્રયાન-૩ ના લેન્ડિંગની લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, હસુભાઈ સોરીયા, જયદીપભાઈ દેત્રોજા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને એક મેકના મો મીઠા કરાવ્યા હતા આવી જ રીતે મોરબીના રવાપર રોડે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિસીપભાઈ કૈલા, પ્રદીપભાઇ વાળા, હસુભાઈ પંડ્યા, જયરાજસિંહ જાડેજા, દેવાભાઇ અવાડિયા, મનુભાઈ સરેસા, અનોપસિંહ જાડેજા, ગૌતમભાઈ સોલંકી, કે.કે. પરમાર, આશીફભાઈ ઘાંચી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યાં આતિશબાજી કરવામાં આવી હતી