મોરબી તાલુકા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો
SHARE
મોરબી તાલુકા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમા મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવા માટે મતદાતા ચેતના અભિયાનના માર્ગદર્શન માટે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામા યોજાયેલ શિબીરમા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા તમામ કાર્યકર્તાઓ એકીસાથે વિશ્વમા ચંદ્રની ધરતી ઉપર દક્ષિણ ધ્રુવમા ચંદ્રયાન- ૩ નુ સફળ લેન્ડીંગ કરનાર ભારત દેશની ઐતિહાસિક અને ગૌરવપુર્ણ ધટનાને સ્ટેડીંગ ઓવેશન આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇસરોના વૈજ્ઞાનિકોને તાળીના ગળગળાટથી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા, ઉપપ્રમુખ રવિભાઇ સનાવડા, રમાબેન ગડારા, રવિભાઇ રબારી, પ્રભારી રસિકભાઇ વોરા, જીલ્લા પંચાયત ચેરમેન જયંતિભાઇ પડ્સુંબિયા, હીરાભાઇ ટમારિયા, જેઠાભાઇ પારેઘી, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઇ ગરચર, બચુભા રાણા, જીલ્લા ભાજપ યુવા પ્રમુખ વિશાલ ધોડાસરા, તરુણ પેથાપરા, જતીન ફુલતરીયા, અનિલ જેઠલોજા તથા મોરબી તાલુકા પંચાયતના તમામ સભ્યોએ હાજરી આપી હતી









