વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગ દરમ્યાન ૧૦૮ બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપીની શોધખોળ
મોરબીની માધાપરવાડી શાળામાં ભારત કો જાનો પરીક્ષા યોજાઈ
SHARE
મોરબીની માધાપરવાડી શાળામાં ભારત કો જાનો પરીક્ષા યોજાઈ
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં માધાપરવાડી કન્યા શાળાની ધો. ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓએ વેદ વ્યસજીના પિતાજીનું નામ શું હતું? ચેટીચાંદ કયા સંતની સ્મૃતિમાં ઉજવાય છે? શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું? ચાણક્યનું મૂળ નામ શું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું કોને કહ્યું હતું? ભારતની કઈ સંસ્થાએ એકીસાથે ૧૦૪ ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું? ભારતનો મુદ્રાલેખ કયો છે? વગેરે જેવા ૫૦ પ્રશ્નોના ઉત્તર પેપરમાં લખી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આ તકે ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો.પનારા અને પ્રકલ્પ સંયોજક દિલીપભાઈ પરમારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું