રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન
SHARE
રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન
મોરબીમાં આગામી રવિવારના રોજ બેલા પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સમગ્ર રઘુવંશી સમાજની શૌર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરતાં રંગ છે રઘુવંશી પુસ્તકનું વિમોચન કરવામાં આવશે ત્યારે સમાજના આગેવાનો સહિતના હાજર રહેશે
લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ તેમજ અકિલાના કિરીટભાઈ ગણાત્રા દ્વારા રઘુવંશી સમાજની વિવિધ અટકોના શહીદવીરો તથા સતીમાતાઓના ૪૭ પાળીયાની તસ્વીરો સાથેનું પુસ્તક “રંગ છે રઘુવંશી ને: નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન મોરબીના બેલા પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા. ૨૭ ઓગસ્ટને રવિવારના રોજ સાંજે ૪ કલાકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે ૫૧ ઋષિકુમારો દ્વારા વેદ-મંત્રોચ્ચાર અને શૌર્ય સંગીત સાથે કંકુ-ચોખા અને ફૂલવર્ષા કરીને કરવામાં આવશે. ત્યારે હાજર રહેવા માટે સમિતિના સભ્યો રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, પરેશભાઈ આડઠક્કર, ચંદ્રેશભાઈ આડઠક્કર, સાગરભાઈ રવેશીયા, પ્રવિણભાઈ તન્ના, પ્રતિકભાઈ રવેશીયા, ધીરુભાઈ તન્ના, અશોકભાઈ તન્ના દ્વારા આમંત્રણ આપ્યું છે