મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન


SHARE





રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન

મોરબીમાં આગામી રવિવારના રોજ બેલા પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સમગ્ર રઘુવંશી સમાજની શૌર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરતાં રંગ છે રઘુવંશી પુસ્તકનું વિમોચન કરવામાં આવશે ત્યારે સમાજના આગેવાનો સહિતના હાજર રહેશે

લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ તેમજ અકિલાના કિરીટભાઈ ગણાત્રા દ્વારા રઘુવંશી સમાજની વિવિધ અટકોના શહીદવીરો તથા સતીમાતાઓના ૪૭ પાળીયાની તસ્વીરો સાથેનું પુસ્તક રંગ છે રઘુવંશી ને: નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન મોરબીના બેલા પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા. ૨૭ ઓગસ્ટને રવિવારના રોજ સાંજે ૪ કલાકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે ૫૧ ઋષિકુમારો દ્વારા વેદ-મંત્રોચ્ચાર અને શૌર્ય સંગીત સાથે કંકુ-ચોખા અને ફૂલવર્ષા કરીને કરવામાં આવશે. ત્યારે હાજર રહેવા માટે સમિતિના સભ્યો રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, પરેશભાઈ આડઠક્કર, ચંદ્રેશભાઈ આડઠક્કર, સાગરભાઈ રવેશીયા, પ્રવિણભાઈ તન્ના, પ્રતિકભાઈ રવેશીયા, ધીરુભાઈ તન્ના, અશોકભાઈ તન્ના દ્વારા આમંત્રણ આપ્યું છે 




Latest News