મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડી ખાતે સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવા કાર્યક્રમનું આયોજન


SHARE







મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડી ખાતે સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવા કાર્યક્રમનું આયોજન

આગામી રક્ષાબંધનના દિવસે તા ૩૦ ના રોજ મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેના માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે પૂજન, તર્પણ સહીતની વિધિ પણ કરવામાં આવશે તેવું જાણીતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ છે

મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યું છે કે, જન્મભૂમિ પંચાંગ અને નિર્ણય સિંધુ અનુસાર તા.૩૦ ને બુધવારે સવારે ૮:૩૦ કલાકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે ૧૧.૦૫ કલાકથી શુભ ચોઘડિયે બહેનો તેના ભાઈને રક્ષા એટલે કે, રાખડી બાંધી શકશે. અને બપોરે ૩.૩૦ થી સાંજના ૬.૩૦ સુધીનો સમય શુભ છે. અને શુક્લ પક્ષની પૂર્ણિમાએ ભદ્રા વૃશ્ચિકી નામની ભદ્રા છે જેથી રાત્રે ત્રણ ઘડી (૭૨ મિનિટ) જ ત્યાગવાની રહે છે. માટે પૂર્ણિમાએ જ રક્ષાબંધન પર્વ ઉજવવા અનુરોધ કરી મોરબી સમસ્ત બ્રહ્મ સમાજને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે






Latest News