માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડી ખાતે સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવા કાર્યક્રમનું આયોજન


SHARE













મોરબીમાં ઔદીચ્ય જ્ઞાતિની વાડી ખાતે સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરવા કાર્યક્રમનું આયોજન

આગામી રક્ષાબંધનના દિવસે તા ૩૦ ના રોજ મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેના માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે પૂજન, તર્પણ સહીતની વિધિ પણ કરવામાં આવશે તેવું જાણીતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ છે

મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યું છે કે, જન્મભૂમિ પંચાંગ અને નિર્ણય સિંધુ અનુસાર તા.૩૦ ને બુધવારે સવારે ૮:૩૦ કલાકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે ૧૧.૦૫ કલાકથી શુભ ચોઘડિયે બહેનો તેના ભાઈને રક્ષા એટલે કે, રાખડી બાંધી શકશે. અને બપોરે ૩.૩૦ થી સાંજના ૬.૩૦ સુધીનો સમય શુભ છે. અને શુક્લ પક્ષની પૂર્ણિમાએ ભદ્રા વૃશ્ચિકી નામની ભદ્રા છે જેથી રાત્રે ત્રણ ઘડી (૭૨ મિનિટ) જ ત્યાગવાની રહે છે. માટે પૂર્ણિમાએ જ રક્ષાબંધન પર્વ ઉજવવા અનુરોધ કરી મોરબી સમસ્ત બ્રહ્મ સમાજને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે






Latest News