માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે સ્વાવલંબી ભારત અંતર્ગત બિઝનેસ ટોક યોજાઇ


SHARE













મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે સ્વાવલંબી ભારત અંતર્ગત બિઝનેસ ટોક યોજાઇ

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, ભારતીય કિશાન સંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ જિલેશ કુમાર બી.કાલરીયા, ભાવિશાબેન સરડવા તેમજ મધુસૂદનભાઈ પાઠક દ્વારા ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને જુદાજુદા મુદે સમજૂતી આપવામાં આવી હતી જેમાં જોબ સિકરને બદલે જોબ ગીવર બનવું, સરકારી નોકરી માટે મહેનત કરવાને બદલે આત્મ નિર્ભર બની દેશમાંથી બેરોજગારીને કંઈ રીતે દૂર કરી શકાય, લઘુ ઉધોગને પ્રોત્સાહન આપી રોજગારી ઊભી કરવી, વોકલ ફોર લોકલને ખરા આર્થમાં સફળ બનાવવું, વિદેશી ચીજવસ્તુને બદલે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ વધારવો વિગેરેનો સમાવેશ થાય છે આ તકે નીલકંઠ વિદ્યાલયના દરેક કાર્યક્રમમાં તત્પર રહેતી વિદ્યાર્થીનીઓ બોડા યશ્વી હરેશભાઈ, ભીમાણી બંસી સવજીભાઈ, પરમાર શિવાલી નરેન્દ્રસિંહ અને વજરિયા ક્રિષા હેમલભાઈ કે જેઓએ "નયા ભારત-આત્મનિર્ભર ભારત-૨૦૨૩" કાર્યક્રમને સફળ બનાવવામાં ઓર્ગેનાઈઝર અને વોલન્ટિયર તરીકે અમૂલ્ય યોગદાન આપેલ હતું તે બદલ તેઓને ઇનામ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને સ્વાવલંબી ભારત બનાવવા બાબતે માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રાએ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News