મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે બાઇક રોડ સાઇડમાં માઈલ સ્ટોન સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના અમરસર પાસે બાઇક રોડ સાઇડમાં માઈલ સ્ટોન સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરથી મીતાણા તરફ જતા રોડ ઉપર અમરસર ગામ પાસે તળાવ નજીકથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ત્યાં રાખવામાં આવેલ માઇલ સ્ટોન સાથે બાઈક આથડયું હતું જેથી યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને રાજકોટ સારવારમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે જેથી આ બનાવ સંદર્ભે મૃતકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગુમાનભાઈ હમરાજભાઈ ભુરીયા જાતે આદિવાસી (૫૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના મૃતક દિકરા વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા (૨૮) રહે. હાલ છતર કેશુભાઈ ભીમાણીની વાડીએ મૂળ રહે એમપી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તરફથી મીતાણા તરફ જતા રસ્તા ઉપરથી અમરસર ગામ પાસે તળાવ નજીકથી તેનો દીકરો બાઈક નંબર જીજે ૨૩ ડીસી ૫૩૬૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ત્યાં મૂકવામાં આવેલ કિલોમીટર દર્શાવવા માટેના માઇલ સ્ટોન પથ્થર સાથે બાઈક અથડાયું હતું જેથી યુવાન નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મચ્છર મારવાની દવા પીધી

મોરબી તાલુકાના ઉંચી માંડલ અને તળાવિયા સનાળા ગામ વચ્ચે આવેલ રોલ્ઝા ગ્રેનાઈટો સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સુરેન્દ્રભાઈ મહાનતા (૨૧) નામનો યુવાન ત્યાં લેબર ક્વાર્ટરમાં મચ્છર મારવાની દવા કોઈ કારણોસર પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડિયા ચલાવી રહ્યા છે






Latest News