વાંકાનેરના દર્શનકુમાર મેરે ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો
મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા સરસ્વતી સન્માન સમારોહ-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા સરસ્વતી સન્માન સમારોહ-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દર વર્ષે તેમના સભ્યોના તેજસ્વી સંતાનોને સન્માનવા માટે થઈને સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે તેની સાથોસાથ સ્નેહમિલન જેવો કાર્યક્રમ પણ યોજાતો હોય છે તેવી જ રીતે મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફન વર્લ્ડ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ અને ફેમિલી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરબીના નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયા હાજર રહ્યા હતા તે ઉપરાંત રાજકોટ ફોટોગ્રાફર એસો.ના મુકેશભાઈ હરખાણી, સેક્રેટરી રાજુભાઈ જીયાણી, રાજકોટ બોસ કલર લેબ વાળા શશીભાઈ પટેલ, મોરબીના વસંતભાઈ પટેલ અને મોરબી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી ફોટોગ્રાફર એસો.ના પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ, મંત્રી મેહુલભાઈ ભટાસણા, સહમંત્રી પરેશભાઈ ચંદ્રાસલા અને ખજાનચી જીતેન્દ્રભાઈ ઉઘરેજા સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી