મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા સરસ્વતી સન્માન સમારોહ-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વાય-૨૦ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વાય-૨૦ કાર્યક્રમ યોજાયો
ભારત દેશને જી-૨૦ નું પ્રતિનિધિત્વ મળ્યુ છે ત્યારે તેને લઈને સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજતા હોય છે તેવામાં ભારત સરકારના મંથન સેલ વિભાગ દ્વારા શાળા કોલેજના બાળકો પણ જી-૨૦ નું મહત્વ સમજે તે હેતુ સાથે વાય-૨૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત દેશના યુવાનો પણ અન્ય દેશ સાથે જી-૨૦ માં જે રીતે ડિબેટ કરવામાં આવતી હોય છે તેમજ એકબીજા દેશની માહિતી લઈને એકબીજા દેશ કઈ રીતે એકમેકનો સહયોગ આપીને વિકાસ કરી શકે અને આગળ વધી શકે તેની જે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ જુદા જુદા દેશની માહિતી મેળવી અને ત્યારબાદ તેમની વચ્ચે ચર્ચા થાય તેઓની વચ્ચે જુદાજુદા દેશની માહિતીની આપ લે થાય, ડિબેટ પણ યોજાઈ તે પ્રકારના આયોજનો કરવામાં આવતો હોય છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નાલંદા વિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને જુદા જુદા ૨૦ દેશની માહિતી એકત્રિત કરીને વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા ૨૦ દેશના પ્રતિનિધિ બનીને તેઓની પાસે રહેલ માહિતી તેમાં રજૂ કરી હતી અને તેમના વચ્ચે ડિબેટ પણ યોજાઇ હતી આ તકે રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તે બદલ શાળાના સંચાલક જયેશભાઈ ગામી દ્વારા સર્વેની મહેનતને બિરદાવવામાં આવી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને અન્ય દેશ વિશેની ઘણી બધી માહિતી જાણવા મળી હતી જે તેઓને ભવિષ્યમાં ઉપયોગી પણ થશે