મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત


SHARE







મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કામ કરતા પરિવારના મહિલા કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નિપજત્તા તેમના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી તબીબ દ્વારા યાદી આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ચકુબેન રામાભાઇ ભીલ નામની ૩૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નીપજત્તા તેમના ડેડબોડીને અહીં પીએમ માટે લાવવામાં આવેલ છે હાલ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના જ ઇસનપુર ગામના રૂમાલસિંહ વાંગલાલસિંહ બામણીયા નામનો ૪૦ વર્ષનો યુવાનો કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડો.પી.એન.આસરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાયેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા સંતોષભાઈ વીરબહાદુરભાઇ નેપાળી નામના ૪૮ વર્ષના યુવાનને ઉમા રેસીડેન્સી નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.હરેશભાઈ ચાવડા આ દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News