મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના માજી ધારાસભ્ય-વાંકાનેરના રાજવીને વિધાનસભામાં ભાવાંજલિ અર્પણ કરી


SHARE













રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના માજી ધારાસભ્ય-વાંકાનેરના રાજવીને વિધાનસભામાં ભાવાંજલિ અર્પણ કરી

ગુજરાત વિધાનસભામાં ૧૯ જેટલા દિવગંત માનનીય ધારાસભ્યઓને અંજલી આપવાના ગૃહના તેઓના પ્રસ્તાવમાં ભાગ લેતા પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ દિવગંતોને ભાવભીની અંજલી અર્પી હતી

જેમાં વાંકાનેરના રાજવી સ્વ. દિગ્વિજયસિંહજી ઝાલાને પ્રજાવત્સલ અને પર્યાવરપ્રેમી લેખાવ્યા હતાં અને મોરબીના ગાંધી સ્વ. ગોકલદાસ પરમારને ભાવવિભોર ભાવાંજલિ અર્પતા બ્રિજેશ મેરજાએ સદ્ગતની ખાદી પ્રવૃત્તિ, મચ્છુ જળ હોનારત, શિક્ષણ, સિંચાઇ, સહકારી પ્રવૃત્તિઓ કંડારેલ કેડી આજે ધોરીમાર્ગ બની પથદર્શક બની રહી છે તેઓ સતવારા સમાજમાં જન્મેલા પણ સૌ સમાજના હામી હતાં અને ઇન્ટર સાયન્સમાં મુંબઇ ભણતા હતાં ત્યારે આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા હતા અને આજીવન નખશીખ પ્રમાણિક અને મૂલ્યોના આગ્રહી રહયા હતાં. તેમના અવસાનથી મોરબીએ મોભ ગુમાવ્યો છે 






Latest News